રંગ ગુણધર્મો (color properties)

રંગના ગુણધર્મો

     રંગોના  જુદા જુદા ગુણધર્મો હોય છે. અને રંગો આ ગુણધર્મો વડે વ્યક્તિઓ પર પોતાની જુદી જુદી છાપ છોડે છે. આ થી તમારે રંગો વિશે સમજવાનું મહત્વનું બની જાય છે. તો ચાલો આપણે રંગોને વધુ સમજીએ 

(1)

તો સૌથી પહેલા આવે છે લાલ રંગ ( Red ) = લાલ રંગ ઉત્સવ , ફૂલો અને વસંતના રંગનું પ્રતીક છે . હિંસાત્મક દૃશ્યમાં લાલ રંગ હિંસા , ભય , ક્રોધ બતાવે છે , તો લાલ રંગ પ્રેમનું પ્રતીક છે . શુભ કાર્યમાં વપરાય છે . સૌભાગ્યનું પ્રતીક ગણાય છે . લાલ રંગ બાળકો અને સ્ત્રીઓનો પ્રિય va 

(2)

અને બીજો રંગ જે આપણો નીકળી આવેછે તે છે પીળો (Yellow ) પીળો રંગ પવિત્રતાનું સૂચન કરે છે . કેટલાક સાધકો પીળા રંગના પીતાંબરનો ઉપયોગ કરે છે . કોઈ પત્ર પ્રજવલિત દીપ , પ્રકાશ , અગ્નિ , સૂર્ય વગેરેને પ્રકાશમાન દર્શાવવા ના રંગનો ઉપયોગ થાય છે , એશક્તિ કે માંદગી દર્શાવવા માટે આછો પીળો રંગ વપરાય છે . આ રંગ તેજસ્વિતા અને પવિત્રતા માટે વપરાય છે .

(3)

અને ત્રીજો છે વાદળી રંગ ( Blue ) - વાદળી રંગ વિશાળતાનું પ્રતીક છે . વિશાળ આકાશ અને અસીમ - અનંતનો રંગ છે , જે રંગની સીમા બાંધી શકાતી નથી . આકાશની વિશાળતાના કારણે ભૂરા રંગની બ્રાંતિ પેદા થાય છે . ભૂરો રંગ વિશાળતા , અનંતતા , ગંભીરતા દર્શાવે છે , સંત નાનકે એને પરમાત્માનો પ્રતીક માન્યો છે , 

(4)

અને ચોથો લીલા રંગ ( Green )  લીલો રંગ સજીવતાનું પ્રતીક છે . જ્યાં સુધી વૃક્ષ જીવંત હોય ત્યાં સુધી લીલું હોય છે , જયારે સુકાઈ જાય છે ત્યારે લીલું રહેતું નથી . વૃકામાં લીલો રંગ પહેલાં આવે છે . બાગમાં કે જે ગલમાં જઈએ તો લીલો રંગ જોઈને આંખ અને હૃદય પણ હરિયાળું બની જાય છે અને શાંતિનો અહેસાસ થાય છે . લીલા રંગનું પરિણામ શાંતિ છે . તાજગી , ચિંતન , શ્રદ્ધા સમૃદ્ધિ ,ફળદ્રુપતા તેમજ હરિયાળી ક્રાંતિ દર્શાવવાનું કામ કરે છે . તેથી રાષ્ટ્રધ્વજમાં નીચેના પટ્ટામાં આ રંગને સ્થાન આપવામાં આવ્યું છે . 

(5)

અને પાંચમો ( Orange ) કેસરી રંગ રાષ્ટ્રધ્વજમાં ઉપરના પટામાં પસંદગી પામેલા ગ છે . સ્વાર્પણ , બલિદાન , ત્યાગ વગેરે દર્શાવે છે અને જરૂર પડે દેશ માટે મરતે દમ તક શક્તિ લગાવવાની હાકલ કરે છે . શોધું બતાવે છે . 

(6)

છ નંબર પર છે  (Violet ) જાબલી રંગ સ્વભાવે વિનમ્ર , રાજસવૃત્તિ , દરબારી ઠાઠ , બાદશાહી દમામ , એશ - આરામ અને વૈભવ સૂચવે છે.

(7)

( White ) સફેદ રંગ સ્વચ્છતા , શુદ્ધતા , પવિત્રતા , પ્રામાણિકતા કે શાંતિનો અહેસાસ કરાવે છે . તેથી આપણા રાષ્ટ્રધ્વજમો વચ્ચેનો પઢો સફેદ રંગનો છે . 

(8)

 ( Black ) ઊંડાઈ , ગહનતા , અંધકાર , છાયા , કપટ , શોક દર્શાવતો રંગ છે . વિરોધ દર્શાવવા કાળા રંગના વાવટા ફરકાવવામાં બનાવે છે .

टिप्पणियाँ

  1. આ એક મસ્ત બ્લોગ છે આનાથી આપણને રંગો ની વિસાળતા વિસે વધુ જાણવા મળે છે સારો બ્લોગ છે 🤘👍👍

    जवाब देंहटाएं

एक टिप्पणी भेजें